ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 26 હજાર 434 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 187 લોકો સાજા થયા છે. તો 10 હજાર 88 લોકોના નિધન થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ વલસાડ જિલ્લામાં નોંધાયા છે. વલસાડમાં 5 કેસ સામે આવ્યા છે. તો સુરત જિલ્લામાં 7 કેસ સામે આવ્યા છે. નવસારી અને વડોદરા શહેરમાં બે-બે કેસ નોંધાયા છે. તો એક દર્દીનું નિધન વલસાડમાં થયું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી. 


આ પણ વાંચોઃ પોતાની વ્યથા રજૂ કરતા-કરતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હાર્દિક પંડ્યા


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 159 છે, જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 187 લોકો સાજા થયા છે. તો 10 હજાર 88 લોકોના નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા છે. 


રાજ્યમાં રસીકરણની સ્થિતિ
ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 2 લાખ 75 હજાર 254 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તો ગુજરાતમાં અત્યાર સુધી 6 કરોજ 89 લાખ 83 હજાર 360 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube