ગાંધીનગરઃ ગુજરાત માટે રાહતના સમાચાર છે. કોરોના વાયરસના (Corona virus) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં  353 કેસ નોંધાયા છે. આ છેલ્લા આઠ મહિનામાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. તો બીજીતરફ મૃત્યુ દરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 462 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસ (Covid 19) ના 2,60,220 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 4382 દર્દીઓના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 73 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 56, રાજકોટ 48, સુરત 41, વડોદરા ગ્રામ્ય 19, રાજકોટ ગ્રામ્ય 16, પંચમહાલ 9, સાબરકાંઠા 9, મોરબી 6, ભરૂચ, ગાંધીનગર શહેર, જુનાગઢ, કચ્છ અને નર્મદામાં પાંચ-પાંચ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 4, ગાંધીનગર ગ્રામ્ય 4, અમરેલી 3, દ્વારકા 3, જામનગર 3 અને જુનાગઢમાં ત્રણ કેસ નોંધાયા છે. તો એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં થયું છે. 


રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 4 હજારથી નીચે પહોંચી ગઈ છે. ગુજરાતમાં આજની તારીખે 3976 એક્ટિવ કેસ છે, જેમાં 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 2 લાખ 51 હજાર 862 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે 4382 દર્દીઓના અત્યાર સુધી મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 96.79 ટકા પહોંચી ગયો છે. 


[[{"fid":"305560","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube