ખેડૂતોનું આંદોલન News

સરકાર સાથે વાતચીત કરવાનો નિર્ણય લેવા માટે ખેડૂતોએ બનાવી કમિટી
નવા કૃષિ કાયદા ( Farm Laws 2020) ના વિરોધમાં 28 દિવસથી દિલ્હીમાં ખેડૂતો આંદોલન (Farmers Protest) પર બેઠા છે. જેમાં ખેડૂતો (Farmers) નું દિલ્હી કૂચ અભિયાન યથાવત છે. જો કે ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાને રાખી દિલ્હીની તમામ બોર્ડર પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.ત્યારે આંદોલનની વચ્ચે વધુ એક વખત ખેડૂતો સાથે વાતચીત માટે સરકારે તૈયારી દાખવી છે. સરકારે ખેડૂતોને વાતચીત માટે પ્રસ્તાવ આપ્યો છે. આજે આંદોલનકારી ખેડૂતો ખેડૂત દિવસ પણ ઉજવી રહ્યા છે. તેમણે દેશભરના ખે્ડૂતોને એક ટંક ખાવાનું ન ખાવાની અપીલ કરી છે. આ ઉપરાંત સરકાર સાથે વાતચીત માટે કોઈ નિર્ણય લેવા તેમણે કમિટી પણ બનાવી છે. ખેડૂતોએ પોતાની માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન કરવાની જાહેરાત કરેલી છે. તેમણે કહ્યું કે 25-26 ડિસેમ્બરે હરિયાણાના હાઈવે ટોલ ફ્રી કરવામાં આવશે. આ ઉપરાંત દેશની સાથે સાથે પંજાબી સમુદાયો વિદેશોમાં પણ ભારતીય દૂતાવાસોની સામે પ્રદર્શન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. 
Dec 23,2020, 13:27 PM IST

Trending news