ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલ સાંજથી અત્યાર સુધી ગુજરાતમાં કોરોના (corona virus) ના 46 નવા કેસ આવ્યા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) કોરોનાના વિસ્ફોટ પર બેસેલુ હોય તેવુ લાગે છે. અમદાવાદમાં આજે નવા 11 દર્દીઓનો ઉમેરો થયો છે. આ સાથે જ અમદાવાદમાં કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી છે. અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું. આ તબીબ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ કોરોનાની કામગીરી માટે અમદાવાદ સિટીમાં ફરજ બજાવતા હતા. 


જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં જે નવા 11 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં નવા આવેલા કેસો કાલુપુર, માણેકચોક, જુહાપુરા, બાપુનગર, નવા વાડજ અને બાવળાના છે. તો સાથે જ અમદાવાદના બાવળામાં હરિઓમ સોસાયટીમાં રહેલા ડૉક્ટર પોતે ટેસ્ટિંગ માટે ગયા હતા તેમાંથી તેમને પોઝિટિવ થયો છે. 


breaking: ગુજરાતમાં કોરોના બેકાબૂ, શુક્રવારે નવા 46 કેસનો વધારો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર