અમદાવાદ : હાલ રાષ્ટ્રજોગ સંબોધન કરીને વડાપ્રધાન દ્વારા લોકડાઉનને આગામી 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ લોકડાઉન લંબાવવામાં આવી ચુક્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં અમદાવાદ સૌથી મોખરે છે. તો બીજી તરફ અમદાવાદમાં કોટ વિસ્તાર સૌથી મોખરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: લોકડાઉનની સ્થિતીમાં પોલીસ પરિવાર પણ રાષ્ટ્રરક્ષક બનીને ખડેપગે

જો કે કોટ વિસ્તારમાં રહેતા લોકો કોઇ પણ પ્રકારે સમજવા માટે તૈયાર નથી. તેઓ કોઇ પણ પ્રકારે તંત્રને પણ તેઓ મદદ આપી નથી રહ્યા કે કોઇ પણ પ્રકારે સાથ પણ નથી આવી રહ્યા. બહાર નિકળી જવું ક્વોરોન્ટાઇન વિસ્તારમાં અવર જવર કરવી. તંત્રના લોકો સાથે ઘર્ષણની ઘટનાઓ બન્યા કરતી હતી. આ ઉપરાંત પણ અન્ય લોકો પણ ન આવે તે જરૂરી હતી. જેથી સરકાર દ્વારા સમગ્ર વિસ્તારમાં કર્ફ્યું લગાવવામાં આવ્યો છે.


સિહોરનો પોઝિટિવ યુવાન 10 લોકો સાથે જમાતમાં ગયો હતો, વડોદરાના નાગરવાડામાં પણ રહ્યો

અમદાવાદનાં કોટ વિસ્તારના દરિયાપુર, જમાલપુર, હવેલી, કાલુપુર, ખાનપુર, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો છે. ફક્ત મહિલાઓને 3 કલાક માટે બહાર નિકળવા માટેની પરવાનગી આપવામાં આવી છે. આ કર્ફ્યુંનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે મુખ્યમંત્રી દ્વારા સીધો જ સ્થાનિક પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર