પાવાગઢ : લોકડાઉનમાં ધીરે ધીરે સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે લોકડાઉન ખુલતા જ લોકો આર્થિક સ્થિતી, માનસિક સ્થિતી વગેરે કારણોથી આત્મહત્યા, ગૃહ કંકાસ જેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા જ ઘર કંકાસમાં બે માસુમોએ જીવ પાવાગઢ પોલીસ સ્ટેશન હદનાં રાયણવાડિયા ગામમાં સગી માતાએ ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં બે બાળકોને કુવામાં ઘા કરી દીતે ચકચાર મચી જવા પામી છે. પાવાગઢ પોલીસ સ્ટેશન હદનાં રાયણવાડિયા ગામની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલ આંબલીયાને માર મારવા મુદ્દે રાજનીતિ ગરમાઇ, કોંગ્રેસે કહ્યું મુખ્યમંત્રીના ઇશારે પોલીસની ગુંડાગર્દી

પાંચ વર્ષનાં અને 7 વર્ષનાં બે બાળકોનાં મોત નિપજ્યાં. પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા.  બાળકોનાં મૃતદેહોને બહાર કાઢીને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકોનાં માતા-પિતાની પોલીસે અટકાયત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર