Junagadh News: જૂનાગઢમાં આવેલા ભારે વરસાદમાંથી હજુ લોકોને રાહત મળી નથી. આ વચ્ચે આજે દાતાર રોડ પર બપોરના સમયે એક જૂનું ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થઈ ગયો છે. મકાન ધરાશાયી થતાં છ જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાની જાણ થતાં એનડીઆરએફ, પોલીસ અને મનપાની ટીમ રાહત તથા બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ્ડિંગ ધરાશાયી થતાં ચારના મોત
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે લોકોએ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. હજુ વરસાદના પાણી ઉતરતા લોકોને થોડી રાહત મળી ત્યાં તો આજે બપોરે દાતાર રોડ પર અચાનક એક જૂનું મકાન ધરાશાયી થયું હતું. આ મકાનના કાટમાળમાં દટાવાને કારણે ચાર લોકોના મોત થયા છે. 


Rain Alert: આગામી ત્રણ કલાક માટે આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ


ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ, કમિશનર, એનડીઆરએફની ટીમ, આઈજી, ડીજી તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મકાન ઘણું જ જુનૂં છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી હતી. છતાં લોકો અંદર રહેતા હતા. 


હાલ જૂનાગઢમાં સ્થિતિ બહુ જ ખરાબ છે. પૂર બાદ હજી પણ જનજીવન સામાન્ય થઈ શક્યુ નથી, હજી પણ અનેક જગ્યાએ પાણી ઓસર્યા નથી. જૂનાગઢ શહેરમાં મેઘ કહેર બાદ જ્યારે જૂનાગઢને મેઘરાજાએ અસ્તવ્યસ્ત કરી દીધું અને લોકોને પહેરવા કપડાં તથા રહેવા માટે ઘર પણ ન રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. રાયજીબાગ જેવા પોષ વિસ્તારોમાં વહીવટી તંત્ર રાતોરાત પહોંચ્યું હતું જ્યારે જિલ્લા કલેકટર દ્વારા સ્લમ વિસ્તારોમાં બે દિવસ બાદ મુલાકાત કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ સ્લમ વિસ્તારોમાં લોકોના ઘરની તમામ ઘરવખરી નાશ પામી છે અને લોકોને હાલ માત્ર અપાઇ રહેલા ફૂડ પેકેટ પર જ તેઓનું જીવન ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્ર સ્લમ વિસ્તારોમાં કઈ રીતનો સર્વે કરી અને કેવી કામગીરી હાથ ધરશે તે જોવું રહ્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube