અમદાવાદ: શહેરનાં અમદુપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. નાના બાળકનાં અપહરણના પગલે પોલીસ દોડતી થઇ હતી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ ચાલુ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પત્ની પતિના ભાઇ સાથે ભાગી ગઇ હતી. અલગ અળગ રહેવા લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરની જીજી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, યુદ્ધધોરણે દર્દીઓનું રેસ્ક્યૂ શરૂ

પતિને જાણ થતા તે પોતાનાં મોટા પુત્રને લઇને ભાગી ગયો હતો. પોલીસે બાળકને પરત અપાવીને આરોપીની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વોરાના રોજા નજીક ફુટપાથ પર અજય કચરાજી ઠાકોર રહે છે. તેના લગ્ન આરતી નામની મહિલા સાથે થયા હતા. જેમાં તેમને પાંચ વર્ષનો પુત્ર પ્રવિણ બે વર્ષનો પુત્ર ભરત છે. આઠેક દિવસ પહેલા પ્રવિણનુ અપહરણ કોઇ અજાણ્યો વ્યક્તિ કરી ગયો હતો. 


સુરતના ખાડી પૂરમાં ફસાયેલી મહિલા માટે દેવદૂત બનીને પહોંચ્યું ફાયર વિભાગ

જેના પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે સીસીટીવી સહિત તમામ તપા કરવા છતા કોઇ ભાળ મળી નહોતી. જો કે ક્રાઇમબ્રાંચે પતિ પત્નીની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરતીના હાલના પતિ અજય રાવળ પહેલા તેના ભાઇ મુકે કચરાજી રાવળ સાથે લગ્ન કર્યા હોવાની માહિતી મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પિતાએ જ પોતાનાં સંતાનોનું અપહરણ કર્યું હોવાનું ફલિત થયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર