Gandhinagar News : ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની છૂટ આપી છે. પરંતુ ગુજરાતમાં બીજે ક્યાંય દારૂની છૂટછાટ નથી. તેથી દારૂબંધીવાળા ગુજરાતમા લોકો સસ્તી દારૂના લતે ચઢ્યા છે. સરકારે જ્યા દારૂમાં છૂટ આપી તે ગિફ્ટ સિટીથી માત્ર 32 કિમી દૂર દારૂ પીધા બાદ બેના મોત થયા છે. હાલ 4 સારવાર હેઠળ છે. FSL રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી. ગાંધીનગરના SP એ લઠ્ઠાકાંડની વાત નકારી છે. હાલ ગામમાં 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે..મૃત્યુ દારૂથી થયું કે અન્ય કોઈ પીણાથી તેની તપાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે ચાર કેસ કર્યા છે. પાંચ બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ભૂખ્યા પેટે વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ થયું હોય છે. FSL રિપોર્ટમાં ઈથેનોલનું પ્રમાણ 22.6% હોવાનું સામે આવ્યું  છે. સાથે જ રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ 0 ટકા હોવાનું સામે આવ્યું. મૃતકનું લિવર ડેમેજ હોવાનો ખુલાસો થયો છે. 


ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ : દહેગામમાં ઉત્તરાયણની રાતે દેશી દારૂ પીધા બાદ 2 મોત


ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ માહિતી આપતા જણાવ્યું કે, દહેગામના લીહોડા ગામમાં બે લોકોના મૃત્યુ થયા છે. બે સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે. સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલ જણાયા નથી. ફર્ધર રીપોર્ટ માટે બીજા લોકોના સેમ્પલ મોકલાયા છે. ખાલી પેટમાં દારૂ પીવાથી હાઈપોગ્લોસેમિયાનું કારણ હોઈ શકે છે. ગઈકાલે ગામ પોલીસે તપાસ કરી જેમાં કેટલાક લોકોને સારવાર માટે લઈ જવાયા છે. પોલીસે 4 કેસ દાખલ કર્યા છે. દેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. 


કચ્છના અંજારના સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના : ભઠ્ઠી ઉભરાઈ જતા 6 મજૂર જીવતાં સળગ્યા


મૃતકોના નામ
કાનાજી ઉમેદજી ઝાલા
વિક્રમસિંહ રગતસિંહ


દેશી દારૂથી અસરગ્રસ્ત લોકો 
બળવત સિંહ ઝાલા, રાજુ સિંહ ઝાલા, કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહ


ઉત્તરાયણ પર આટલુ કરવાથી 2024 નું આખુ વર્ષ સારું જશે