હીતલ પારેખ/ ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરાયા બાદ તેને લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું, હવે રાજ્ય સરકાર દ્વારા સવર્ણ વર્ગના આર્થિક રીતે નબળા લોકોને અનામતનો લાભ લેવા જરૂરી પ્રમાણપત્ર આપનારા અધિકારી નિયત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામતનો લાભ લેવા માટે સવર્ણ વર્ગના લોકો માટે રૂ.8 લાખની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. 
 
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઠરાવમાં આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગને 10 ટકા અનામત અંગેનું પ્રમાણપત્ર આપનારા અધિકારીના નામની જાહેરાત કરાઈ છે. પરિપત્ર મુજબ મામલતદાર અને મામલતદાર થી ઉપરના અધિકારીઓ આ અંગેનું પ્રમાણપત્ર આપી શકશે. જિલ્લા મેજીસ્ટ્રેટ, અધિક કલેકટર, કલેકટર અને મામલતદાર સુધીના અધિકારીઓને આ પ્રમામપત્ર આપવાની સત્તા આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં 'મેગા પ્લેસમેન્ટ કેમ્પ'નું આયોજન


આ પ્રમાણપત્ર ખોટું આપે કે અધિકારી પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરે તો તેના પર અપીલ કરવાનો અધિકાર પણ નાગરિકોને અપાયો છે. જે મુજબ જે અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તેનાથી ઉપરના અધિકારી સમક્ષ અપીલ કરી શકાશે. આ અપીલનો ૩૦ દિવસમાં નિકાલ કરવાનો રહેશે. રાજ્ય સરકારે આ અંગે બહાર પાડેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે કુટુંબની આવક માટે રૂ.8 લાખની મર્યાદા નક્કી કરી છે. 


સરકાર દ્વારા નક્કી કરાયેલા અધિકારીઓ


  • જિલ્લા મેજિસ્ટ્રેટ/ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ/ કલેક્ટર/ અધિક કલેક્ટર/ નાયબ કલેક્ટર/ આસિસ્ટન્ટ કલેક્ટર

  • મામલતાદર/ તહેસીલદારની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવન્યુ અધિકારીઓ.

  • તાલુકા વિકાસ અધિકારી

  • જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ કલ્યાણ) / જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ કલ્યાણ)


એટલે કે, સવર્ણ વર્ગના લોકોને 10 ટકા આર્થિક અનામતનો લાભ લેવા માટે પાત્રતાનું પ્રમાણપત્ર માટે મામલતદાર/ તહેસિલદારની કક્ષાથી ઉતરતા ન હોય તેવા અધિકારકીઓ સક્ષમ સત્તાધિકારી ગણાશે. 


જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ


આર્થિક રીતે નબળા વર્ગ માટે આવકની ગણતરી અને કુટુંબની વ્યાખ્યા 


  • જે વ્યક્તિ અનામતનો લાભ લેવા ઈચ્છે તે પોતે, તેના/તેણીના માતા-પિતા અને તેમના 18 વર્ષથી નાની વયના બાળકો એટલે કે, અરજદારના ભાઈ-બહેનનો સમાવેશ થશે.

  • અનામતનો લાભ લેવા ઈચ્છતા અરજદારની પત્ની અથવા તેણીનો પતિ, તેમના 18 વર્ષથી નીચેના બાળકોનો પણ સમાવેશ થશે.

  • આવકમાં કુટુંબના બધા સ્રોત જેવા કે, પગાર, કૃષિ, ધંધો, વ્યવસાય વગેરેનો સમાવેશ કરાશે. 

  • ઉમેદવાર જે વર્ષમાં અનામતનો લાભ લેવા ઈચ્છતો હોય તેના આગળના નાણાકીય વર્ષની ઉપરોક્ત તમામ સભ્યોની સંયુક્ત અને તમામ સ્રોતની આવક ગણતરીમાં લેવાશે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...