ગાંધીનગર: રાજ્ય સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે શરતોની સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રો શરૂ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં 10 લોકોને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, 21 સપ્ટેમ્બરથી સામાજિક, રાજકિય, મનોરંજન, રમત, ધાર્મિક વગેરે સાથે સંકળાયેલા કાર્યક્રમોને મંજૂરી રહેશે, પરંતુ એક છત નીચે 100થી વધુ લોકોને મંજૂરી મળશે નહીં. જો કે, આ પ્રકારના કાર્યક્રમમાં ફરજિયાત ફેસ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ, સેનિટાઇઝર અને કોવિડ-19ના નિયમોનું પાનલ કરવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી: ચોરોને પકડતી પોલીસ જ ચોરી કરતા ઝડપાય, 2 ASI સહિત 12 જવાનો ઝડપાતા ચકચાર


સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, આંતરરાષ્ટ્રીય ઉડાન (કેટલાક વિશેષ કેસને બાદ કરતા) બંધ રહશે. ત્યારે કન્ટેઈનમેન્ટ ઝોનથી બહાર 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ તેમના પરિવારની સંમતિથી શિક્ષકોને મળવા શાળાએ જઈ શકશે. સરકારે શાળા-કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય અને રાજ્ય શાસિત પ્રદેશો સાથે ખાસ ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 30 સપ્ટેમ્બર સુધી શાળા, કોલેજ, કોચિંગ સેન્ટર બંધ રહશે. 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.


HC દ્વારા 1-8-18 નો વિવાદિત પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો, ખાસ ગાઇડલાઇન


કન્ટેઇનમેન્ટ ઝોન બહાર આ ગતિવિધિઓને મંજૂરી
- રાજ્યો/ રાજ્ય શાસિત પ્રદેશોમાં 50 ટકા સુધી શિક્ષણ અને બિન શિક્ષણ સ્ટાફને ઓનલાઇન ટીચિંગ અને સંબંધિત કાર્ય માટે શાળાએ બોલાવી શકાય છે.
- ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના માર્ગદર્શન માટે સ્વૈચ્છિક આધાર પર સ્કૂલમાં જવાની મંજૂરી આપી શકાય છે. આ તેમના માતાપિતા / વાલીઓની લેખિત સંમતિ પછી હશે.
- મેટ્રો શરૂ કરવાના રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જો કે ગુજરાતમાં ક્યાંય પણ મેટ્રો નથી. માત્ર અમદાવાદમાં કહેવા પુરતા એક રૂટ પર મેટ્રોનું સંચાલન થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર