પેટલાદઃ ગુજરાતમાં ટિકિટોની વહેંચણી બાદ તમામ પાર્ટીઓમાં નારાજ નેતાઓની યાદી લાંબી થતી જાય છે. અનેક જગ્યાએ ટિકિટ ન મળવાને કારણે નેતાઓ અને તેના કાર્યકર્તાઓ પાર્ટી સામે વિરોધ કરી રહ્યાં છે. તો કેટલાક નેતાઓએ ટિકિટ ન મળતા પાર્ટીમાંથી રાજીનામા પણ આપી દીધા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિરંજન પટેલે આપ્યું રાજીનામું
ગુજરાતમાં પેટલાદ મત વિસ્તારના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલે ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મોકલી આપ્યું છે. નોંધનીય છે કે પેટલાદ વિધાનસભા સીટ પર કોંગ્રેસે આ વખતે નિરંજન પટેલની ટિકિટ કાપીને પ્રકાશ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. 


આ પણ વાંચોઃ Elections 2022: ત્રણેય પાર્ટીના 182 બેઠકોના ઉમેદવારોની સંપૂર્ણ યાદી, જુઓ એક ક્લિકમાં


ટિકિટ ન મળતા નારાજ થયા નિરંજન પટેલ
પેટલાદ મતવિસ્તારના ધારાસભ્ય નિરંજન પટેલને પાર્ટીએ ટિકિટ ન આપતા તે નારાજ થયા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટલાદ બેઠક પર આ વખતે પ્રકાશ પરમારને ટિકિટ આપી છે. એટલે ટિકિટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા છે અને ધારાસભ્ય ઉપરાંત પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધુ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube