Gujarat Loksabha Elections : કેતન ઈનામદારના રાજીનામા બાદ ભાજપમાં દોડધામ મચી છે. વડોદરામાં ચાલી રહેલા નારાજગીના દોરને ખાળવ માટે ગાંધીનગરમાં સી.આર.પાટીલે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી. તો સાવલીના ધારાસભ્યને મનાવવા માટે પ્રયાસો શરૂ થયા છે. લોકસભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કેતન ઈનામદારના રાજીનામાની વાત સાંભળી ભડક્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પક્ષમાં કોને લેવા અને કોને નહિ તે ધારાસભ્ય નહિ નક્કી કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકુભા મનાવવા પહોંચ્યા 
કેતન ઈનામદારના રાજીનામા બાદ મનામણાનો દોર ચાલી રહ્યો છે. હકુભા જાડેજા અને રાજુ પાઠકે કેતન ઈનામદાર સાથે બેઠક કરી રહ્યાં છે. બંધબારણે બેઠક કર્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે. હાલ હકુભા અને કેતન ઈનામદાર ગાંધીનગર રવાના થયા છે. તેઓ ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાથે બેઠક કરશે. ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ કેતન ઈનામદાર માની જાય તેવી શક્યતા છે. 


પક્ષપલટુઓને મોટા ભા બનાવવાનો ખેલ ભાજપને ભારે પડ્યો, કેતન ઈનામદારે આ કારણ જણાવ્યું


પાટીલની પ્રતિક્રીયા 
કેતન ઈનામદારના રાજીનામા બાદ પાટીલની પ્રતિક્રિયા આવી છે. સીઆર પાટીલે કહ્યું કે, કેતન ઈનામદાર માનેલા જ છે. પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. કેતનભાઈ માણસ છે નારાજ થઈ શકે. પક્ષમાં કોને લેવા એ પક્ષ નક્કી કરશે. 


 


વડોદરા ભાજપમાં અસંતોષની આગ પેટી : 3 મોટા નેતા નારાજ, સત્તા અને સંગઠન આમને-સામને


 


કચ્છના ગામડા પર મજાક ઉડાવીને ટ્રોલ થઈ ગુજરાતી ગાયિકા ઈશાની દવે, થયો વિવાદ