Gujarat Tourism : સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશવિદેશથી પ્રવાસીઓ આવે છે. અહીં સુધી પહોંચવા માટે લોકોને ટ્રેન કે રોડ દ્વારા આવવું પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી અનેક ટ્રેનો છે. પરંતુ રસ્તાનો માર્ગ વિકસાવવા માટે ગુજરાત સરકારે મોટું આયોજન કર્યું છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે. આ માટે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર,     મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા ૩૮૧.૧૬ કરોડની મંજૂરી આપી છે.     વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે.


અમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની હત્યા, નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયો


આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે. મુખ્યમંત્રીએ આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે. 


આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ ૨.૫ કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. 


એટલું જ નહી, આ કામગીરીમાં  બે  અન્ડરપાસ અને બે  એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે. તદનુસાર  રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ,  તેમજ કેલનપુર ગામમાં અને  સિનોર ચોકડી ઉપર ૪ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે. 


ઓગસ્ટની આ તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ