ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,820 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 11,999 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 74.46 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- રાજકોટના એક જ પરિવારમાં 1 વર્ષના બાળક સહિત 15 સભ્ય સંક્રમિત, જીતી કોરોના સામેની લડાઈ


અત્યાર સુધીમાં 95,41,391 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 26,31,820 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,25,73,211 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


આ પણ વાંચો:- Viral Video: કોરોનીયા તું ક્યાંથી આવ્યો... કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો વીડિયો વાયરલ


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,47,499 એક્ટિવ દર્દી છે, જે પૈકી 747 લોકો વેન્ટિલેટર પર છે અને 1,46,752 લોકો સ્ટેબલ છે. 4,52,275 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 7,648 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 9, જામનગર કોર્પોરેશનમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 5 ગાંધીનગર કોર્પોરેશનમાં 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.


આ પણ વાંચો:- નવજાત બાળકીના હિસ્સાનું વાત્સલ્ય છીનવાય તે પહેલા જ માતાની મમતાએ કાળમુખા કોરોનાને હંફાવ્યો


આ ઉપરાંત મહેસાણામાં 3, વડોદરામાં 5, સુરતમાં 3, જામનગરમાં 5, બનાસકાંઠામાં 2, કચ્છમાં 3, ખેડામાં 1, સાબરકાંઠામાં 4, ભાવનગરમાં 7, જૂનાગઢમાં 5, પાટણમાં 3, રાજકોટમાં 6, વલસાડમાં 1, ભરૂચમાં 1, અમરેલીમાં 4, છોટા ઉદેપુરમાં 1, સુરેન્દ્રનગરમાં 4, અમદાવાદમાં 1, દેવભુમી દ્વારકામાં 3, તાપીમાં 1, પોરબંદરમાં 1 અને બોટાદમાં 1 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 170 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube