ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. રાજ્યમાં આજે 10 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,997 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 1,11,662 રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરબા રમતી તરૂણી પાણી પીવા ગઇ અને અચાનક એક યુવક આવીને તેની સાથે શરીર રગડવા લાગ્યો અને...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 207 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 201 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,997 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ કુલ 10086 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત પણ થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા આવેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશન,ગીરસોમનાથ, જામનગર અને જુનાગઢમાં 1-1 કેસ સામે આવ્યા છે. 


તુ તો આફ્રીકન જેવી છે પરંતુ આફ્રીકનો જેવી મજા નથી આપતી, ધર્મનું પાલન પણ નથી કરતી


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર પૈકી 2 ને રસીનો પ્રથમ અને 496 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6639 નાગરિકોને રસીનો પ્રથમ અને 23779 નાગરિકોને રસીનોબીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20344 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 60402 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં 1,11,662 રસીના કુલ ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,68,29,574 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube