અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1015 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1094 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51217 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 787.95 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,62,264 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1090 તથા અન્ય રાજ્યના 04 એમ કુલ 1094 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1015 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: રાજ્યનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવી તો દેવાયો, હવે કોર્પોરેશનને કંઇ પડી નથી


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,01,746 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,00,875 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 921 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


અમદાવાદ: 10 વર્ષના બાળકને વૃદ્ધે પરિવારની જેમ સાચવ્યો, વ્હોટ્સએપથી થયું મિલન


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14359 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 76 છે. જ્યારે 14283 લોકો સ્ટેબલ છે. 60537 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2767 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 19 લોકોનાં મોત નિપજ્યાં છે. સુરતમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, જુનાગઢ 1, મહેસાણા 1, મોરબી 1 અને રાજકોટમાં 1 વ્યક્તિ સહિત કુલ 19 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર