અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1101 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 972 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 60808 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 935.50 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 17,56,133 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1101 કેસ નોંધાયેલા છે. આજ રોજ 972 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 69,229 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80 % ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ: કોરોનાના કહેર વચ્ચે કાલે 1.27 લાખથી વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા, 25 મીથી પુરક પરીક્ષા


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,71,463 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,70,847 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 623 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


અમદાવાદ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ASI ના પગાર બિલ ક્લિયર નહી થતા કંટ્રોલરૂમમાં આપઘાતનો મેસેજ કર્યો


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14653 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 14574 લોકો સ્ટેબલ છે. 69229 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2897 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 3, જુનાગઢ 2, સુરતમા 2, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 વ્યક્તિ સહિત 14 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર