અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1311 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1148 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1119.24 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,08,120 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1311 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1148 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 83,546 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.11% ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગળ ભાજપ પાછળ કોંગ્રેસ? સી.આર પાટીલની રેલી બાદ અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,69,519 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,67,381 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 2138 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે. 


પોપ્યુલર બિલ્ડર કેસમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16366 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 85 છે. જ્યારે 16281 લોકો સ્ટેબલ છે. 83546 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3094 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરતમાં 4, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર 1, મહેસાણા 1, રાજકોટ 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 અને અન્ય રાજ્યનાં 1નો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube