ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1332 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1415 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1110.01 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,73,534 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1332 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1415 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 90,230 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.31% ટકા છે.


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,82,298 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,81,839 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 459 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16230 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 91 છે. જ્યારે 16139 લોકો સ્ટેબલ છે. 90230 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3167 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશન 1, ગાંધીનગર 1, વડોદરા કોર્પોરેશન 1 અને કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube