અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે.  આજે રાજ્યમાં 1430 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1316 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,05,091 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,897 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 952.26 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,62,366 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1430 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1316 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,05,091 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.23% ટકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ: સરકારી ગાડીઓ પર "આ ગાડી પ્રજાના પૈસે ફરે છે" તેવા સ્ટીકર લાગાવાયા


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,19,417 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,19,009 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 408 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. 


ચોરને ચપટીઓમાં શોધી કાઢતા અને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ASI અરવિંદ થોરાટનું નિધન


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16337 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 89 છે. જ્યારે 16248 લોકો સ્ટેબલ છે. 105091 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3339 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત 4, ભાવનગર કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1 અને રાજકોટ કોર્પોરેશન 1 આ પ્રકારે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube