ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 154 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 58 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,463 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.05 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,133 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદો પોતાનું કામ કરે જ છે પરંતુ જુમ્માની નમાજ બાદ ફાટી નિકળતા તોફાનો નહી ચાલે


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 704 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 704 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,463 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 12, વડોદરા 11, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 4, મહેસાણા, સુરત, વલસાડમાં 3-3, અમદાવાદ 2, આણંદ, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં 2-2 કેસ તથા ખેડામાં 1 કેસ નોંધાયો હતો. 


ખેડૂતોની આવક બમણી થાય ત્યારની વાત ત્યારે, અત્યારે તો ઉભો પાક સુકાય છે તંત્ર પાણી આપો!


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 635 નાગરિકોને રસીનો પ્રથમ અને 16180 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 88 ને રસીનો પ્રથમ અને 886 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 22493 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 542 ને રસીનો પ્રથમ અને 2309 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 43,133 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,05,11,551 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube