ગાંધીનગર : રાજ્ય (Gujarat) માં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 17 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 28 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,858 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી  રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 6,33,789 દર્દીઓનું રસીકરણ થયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad: તમારી સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ કેટલા સજાગ છે? તસવીરોમાં જુઓ પુરાવા


જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 182 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 178 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સાહરવાર લઇને 8,14,858 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે રાજકોટ કોર્પોરેશનમાં 1 દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 8 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 3, આણંદ 1, દેવભૂમિ દ્વારકા 1 અને રાજકોટ 1 એક કુલ 17 કેસ નોંધાયા છે.  

Xiaomi એ લોન્ચ કર્યું દમદાર TV, મોબાઇલ ફોન કરતાં પણ છે પાતળું, ફીચર્સ મચાવશે ધૂમ


જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 144 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 5416 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,37,451 નાગરિકોને રસીનો પ્રથમ અને 73,656 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,97,908 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 19,214 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 6,33,789 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 3,85,90, 661 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube