ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 09 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,293 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 24,180 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ હસ્તકલા હાટની મુલાકાત લીધી, સખી મંડળની બહેનોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું


બીજી તરફ જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 122 એક્ટિવ કેસ છે. જે પૈકી 01 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 121 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,13,293 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. પરંતુ રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું નથી. રાજ્યમાં આજે કોરોનાના કુલ 18 કેસ નોંધાયા તે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 9,  વડોદરામાં 2, અમદાવાદ, ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા હતા. 


RAJKOT માં પોલીસે સીધા આરોપીનાં પગ જ પકડી લીધા, તેના ચપ્પલ જ ગુજરાતને બરબાદ કરી શકે તેમ હતા


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 277 ને રસીનો પ્રથમ અને 3855 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 75 ને રસીનો પ્રથમ અને 893 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 5250 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 1800 ને રસીનો પ્રથમ જ્યારે 12030 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 24,180 રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,78,85,611 ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube