ગાંધીનગર : રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા માત્ર 19 કેસ આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરપ કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 98.75 ટકા થવાના સતત વધારો તઇ રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,51,121 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળ મામલે નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઈ શકે છે


જો એક્ટિવવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 209 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 204 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત 8,14,778 દર્દીઓને ડીસ્ચાર્જ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. કુલ 10077 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી જે રાજ્ય માટે મોટી રાહતના સમાચાર છે. 


11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ, કાલ સુધીમાં ટાંકી ફુલ કરી નાખજો કારણ કે


રાજ્યમાં રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 240 કર્મચારીઓને રસીનો પ્રથમ અને 4970 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 124969 નાગરિકોને રસીનો પ્રથમ અને 61461 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 330282 નાગરિકોને રસીનો પ્રથમ અને 29199 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં 5,51,121 ડોઝ અપાઇ ચુક્યા છે. 3,71,32,599 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube