ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 7 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,963 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 31,394 રસીના ડોઝ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિનકાયદેસર ખનના પગલે ભોગાવો નદી હવે ભોગ લેતી નદી બની ગઇ છે, 2 બાળકોના મોત


બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 86 એક્ટિવ કેસ છે. બે નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 84 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,963 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. ગાંધીનગર કોર્પોરેશન 15, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 કેસ નોંધાયા છે. 


આ મુદ્દાઓ પર સરકાર અને ડોક્ટર્સ વચ્ચે થયું સમાધાન, આખરે ઘીના ઠામમાં ઘી ઢોળાયું


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષ વધારેની ઉંમરના 1184 ને પ્રથમ જ્યારે 13946 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 300 ને રસીનો પ્રથમ જ્યારે 2597 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 6865 ને પ્રિકોર્શન અને 12-14 વર્ષના તરૂણો પૈકી 6502 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 31,394 રસીના ડોઝ તથા 10,64,42,454 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube