ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આંકડાઓમાં તબક્કાવાર રીતે વધારો થઇર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 21 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 30 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 4,96,485 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી સરકાર નવુ સત્ર: સરકાર સબ સલામતના દાવા વચ્ચે કોંગ્રેસનું હાય-હાયના નારા સાથે વોકઆઉટ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 142 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 138 સ્ટેબલ છે. 8,15,648 કોરોના પોઝિટિવ દર્દીઓ અત્યાર સુધી ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. તો 10082 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને કારણે મરણને શરણ થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નિપજ્યું નથી. આજે અમદાવાદ કોર્પોરેશનમાંથી 6, વલસાડ 5, સુરત કોર્પોરેશ અને વડોદરા કોર્પોરેશનમાંથી 3-3 , ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર, કચ્છ, નવસારીમાંથી 1-1 કેસ સામે આવ્યા હતા. આ પ્રકારે ગુજરાતમાં આજે કુલ 21 કેસ નોંધાયા છે. 


21 વર્ષની દિકરી સામે જ માતા દિયર સાથે સેક્સ કરતી, પુત્રીને કહેતી જીવનમાં સાચુ એન્જોય કરવું હોય તો...


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19 ને પ્રથમ 2288 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 61002 ને રસીનો પ્રથમ અને 67437 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષ સુધીના 174230 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,91,509 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 4,96,485 ડોઝ આજના દિવસમાં અપાયા હતા. 6,00,20,944 રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube