ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,246 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો આજના દિવસમાં કુલ 3,53,674 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સી.આર પાટીલ મુદ્દે શાબ્દિક ટપાટપી, રાજકારણમાં ભારે ગરમાવો


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 192 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 187 નાગરિકો સ્ટેબલ છે. 8,16,246 નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10088 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. આજે વડોદરા કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડ 4, જુનાગઢ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો હતો. 


RAJKOT માં એવા લગ્ન કે જે તમે ક્યારે પણ જોયા નહી હોય! આવા લગ્ન અંબાણી પણ ન યોજી શકે


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 ને રસીનો પ્રથમ જ્યારે 1546 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 12602 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 84752 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38205 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2,16,566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે એક જ દિવસમાં 3,53,674 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 70242222 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube