ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 49 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,081 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. અત્યાર સુધીમાં કુલ 4,94,213  રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે? સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 262 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 258 નાગરિકો પણ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,17,081 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનના 6, અમદાવાદ કોર્પોરેશન અને ભરૂચમાં 5-5 કેસ, સુરત કોર્પોરેશન 4, કચ્છ 3, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન 1, પંચમહાલ 1 અને સુરતમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 27 કેસ નોંધાયા છે. 


જંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરો પૈકી 11 ને રસીનો પ્રથમ જ્યારે 1217 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષના નાગરિકો પૈકી 12457 નાગરિકોને રસીનો પ્રથમ, 117437 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 39612 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 323479 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 4,94,213 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 8,05,17,518 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube