ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા દિવસેને દિવસે વધતા જઇ રહ્યા છે. આજે રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 87,796 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા. કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળમાં વિદ્યાર્થીઓને થયેલા શૈક્ષણીક નુકસાનને આ રીતે ભરપાઇ કરશે સરકાર


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 548 કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 542 સ્ટેબલ છે. 8,17,487 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10098 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 8, જામનગર-કચ્છમાં 4-4, વલસાડમાં 3, અમરેલી-નવસારી 2-2, આણંદ, ભાવનગર કોર્પોરેશન, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કેસ સહિત કુલ 56 કેસ નોંધાયા હતા. 


RRSA દ્વારા ચામડાનો વિરોધ: અનોખા અભિયાનની આણંદથી શરૂઆત થઇ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1ને પ્રથમ જ્યારે 385 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 3063 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 19366 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9799 નાગરિકોને રસીનો પ્રથમ 55182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 87,796 રસીના ડોઝ આજનાં દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,53,00,128 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube