ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. એક સમયે એકાંકી બની ગયેલા કોરોનાએ ફરી ફૂંફાડો મારવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,455 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોનાને મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 4,15,546 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 524 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 516 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,455 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10098 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે કોરોનાને કારણે આજે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આજે જામનગર કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10, કચ્છ-નવસારીમાં 4-4, મહેસાણા રાજકોટ કોર્પોરેશનમાં 3-3, દેવભુમી દ્વારકા- વલસાડમાં 2-2 અને આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, વડોદરા અને અમદાવાદમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 71 કેસ નોંધાયા હતા. 


બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 15ને રસીનો પ્રથમ, 1200 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 11065 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 98999 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34564ને રસીનો પ્રથમ જ્યારે 270703 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 4,15,546 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,52,12,332 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.