ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 775 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 479 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,68,775 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.89 થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jamnagar: પ્રથમ દિવસે જામનગરનાં મેયરે સંભાળ્યો કાર્યભાર ત્યારે કેવો રહ્યો તેમનો દિવસ?


આ ઉપરાંત 19,33,388 વ્યક્તિઓનું પ્રથમડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 4,87,135 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 90,829 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


હવે તારામાં કોઇ રસ કસ રહ્યો નથી મારે નવી લાવવી છે, પતિએ પત્ની સાથે જાહેરમાં એવું કર્યું કે...


જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં બોટાદ અને ડાંગ એમ કુલ 02 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 775 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 579 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.89 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,68,775 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


Bhavnagar: શહેરમાં ઉનાળામાં પણ નહી રહે પાણીની તંગી, પાણીનો વિપુલ જથ્થો


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4200 એક્ટિવ દર્દી છે જે પૈકી 53 લોકો વેન્ટીલેટર પર છે. 4147 લોકો સ્ટેબલ છે. 2,68,775 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4422 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે કોરોનાને કારણે આજનાં દિવસમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube