ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 6 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,969 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 34,157 રસીના ડોઝ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 વર્ષીય તરૂણીને બોયફ્રેન્ડે કહ્યું, બોર્ડમાં વાંચેલું યાદ આવે તે માટેનો અક્સિર ઉપાય મળી ગયો છે અને...


બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 114 એક્ટિવ કેસ છે. જો કે કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. જ્યારે 114 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,969 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો ગાંધીનગર કોર્પોરેશન 23, અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 2 અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો છે. 


હમીદ અને આવેશ હોમગાર્ડમાં પણ પાસ ન થતા આખરે નકલી પોલીસ ફોર્સ બનાવ્યો અને પછી...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષ વધારેની ઉંમરના 1207 ને પ્રથમ જ્યારે 14997 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 328 ને રસીનો પ્રથમ જ્યારે 2795 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 9530 ને પ્રિકોર્શન અને 12-14 વર્ષના તરૂણો પૈકી 5300 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 34,157 રસીના ડોઝ તથા અત્યાર સુધીમાં કુલ 10,64,76,611 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube