અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 5 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે તો રેકોર્ડ બ્રેક 1110 નવા દર્દીઓ નોંધાયા હતા. જો કે સામે પક્ષે 753 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 21708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 333.96 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 21 લોકોનાં મોત નિપજ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, પોલીસ અને AMC એ કાર્યવાહી કરી


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 3,64,518 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,62,569 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 1949 લોકોને ખાનગી તથા સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 


સ્પીકઅપ ઇન્ડિયા અમિત ચાવડા: વિશ્વની સૌથી મોટી લોકશાહી ભાજપના રાજમાં ખતરામાં છે

રાજ્યનાં કુલ એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 13131 એક્ટિવ કેસ છે. વેન્ટીલેટર 85 છે જ્યારે 13046 સ્ટેબલ છે. 40365 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2326 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આજના દિવસમાં 21 લોકોનાં દુખદ નિધન થયા છે. જે પૈકી સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1,મોરબી, રાજકોટ, વડોદરા અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર