• હવે સરકારે આપેલી સુચના મુજબ જ ગુજરાતીઓએ તહેવારોની ઉજવણી કરવાની રહેશે 

  • નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.

  • લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે


ઝી મીડિયા/બ્યૂરો :નવરાત્રિના ગરબા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર  2020 થી કરવાનો રહેશે. આ સૂચનાઓનો અમલ કરીને જ નવરાત્રિ અને અન્ય તહેવારોનો અમલ કરવાનો રહેશે. 


આ પણ વાંચો : જાપાનથી આવ્યા કોરોનાને લઈને ચોંકાવનારા સમાચાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિ માટે ખાસ માર્ગદર્શિકા 


  • નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહિ. 

  • નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહિ કરી શકાય.

  • આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક  રહેશે. 

  • 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહિ. 

  • તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. 

  • તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે. 


આ પણ વાંચો : પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે, ભાજપના સંભવિત ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો 


કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. તદ્દનુસાર 6 ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનેટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. 



સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 65 થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે. 


આ પણ વાંચો : અમદાવાદને ચકચકિત બનાવવાનું શરૂ, 5311 જૂની ઈમારતોને રિડેવલપ કરાશે 


અન્ય તહેવારો માટે સૂચના 


  • મૃત્યુ બાદની અંતિમ ક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ 100  વ્યક્તિઓની મર્યાદા રહેશે. 

  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી,  બેસતા વર્ષ નૂતન  વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ  શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.



આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે