ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 871 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1031 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6246 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6223 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,41,363 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,972 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 281 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન 71, મહેસાણા 44, સુરત 42, રાજકોટ કોર્પોરેશન 38, ગાંધીનગર 36, રાજકોટ 35, સુરત કોર્પોરેશન 30, અમરેલી 29, ગાંધીનગર 36, સુરત કોર્પોરેશન 30, અમરેલી 29, ગાંધીનગર કોર્પોરેશન 28, કચ્છ 27, બનાસકાંઠા 21, નવસારી 18, પાટણ 18, આણંદ 16, વડોદરા 14, મોરબી 13, વલસાડ 13, જામનગર કોર્પોરેશન 11, અરવલ્લી 10, પોરબંદર 10, સાબરકાંઠા 10, સુરેન્દ્રનગર 8 એમ કુલ 871 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 5,22,127 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2342 ને રસીનો પ્રથમ અને 6873 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 105 ને રસીનો પ્રથમ અને 1902 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 54107 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2129 ને રસીનો પ્રથમ અને 5473 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 449196 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,78,64,307 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube