Arvind Kejriwal Gujarat Visit: વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.  દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે, અને તેઓ ભાવનગર પહોચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં  સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે.


ભાવનગરમાં ફરી કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુજરાતના યુવાનોને નોકરીઓ નહીં મળે ત્યાં સુધી અમારી સરકારમાં 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. એટલું જ નહીં, 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube