Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપી,ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહશે. રાજસ્થાન તરફ સર્જાયેલ સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ બન્યું છે. જેના કારણે તાપમાનનો પારો 2 દિવસ વધશે ત્યારે બાદ ઘટી જશે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર આવતા સપ્તાહે જોવા મળશે. 


ગુજરાતના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કે કોલેજમાં નહિ જવું પડે, શરૂ કરાશે ડિજીટલ યુનિ.


ગુજરાતમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલ વાતાવરણમાં જે પ્રકારે સતત બદલાવ આવી રહ્યો છે. એવામાં ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ ગુજરાત પર ભારે છે. કારણકે, આગામી ચાર દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ કહેર વર્તાવી શકે છે. હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છેકે, હાલમાં જ હોળીના દિવસે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની સિઝન જેવું માવઠું પડ્યું હતું. હોળી પર કમોસમી વરસાદ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. એવામાં પડતા પર પાટા સમાન હજુ પણ ચાર દિવસ કમોસમી વરસાદની જ આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે એ સ્થિતિને જોતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે, હાલ ખેતરોમાં ઉભા પાક તૈયાર છે. ખાસ કરીને અનાજ ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પણ આ માવઠું ભારે નુકસાન પહોંચાડનારું છે. 


અમદાવાદમાં સી પ્લેનની રાહ જોઈને બેસ્યા છો તો સરકારે આપેલો આ ફાઈનલ જવાબ જાણી લેજો


આગામી 4 દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. કાલે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ દાહોદ તરફ વરસાદની આગાહી છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે.


હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાથી વરસાદી માહોલ રહેશે. ખેડૂત માટે વરસાદને લઈને ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. ખેડૂતોને પાક થઈ ગયો હોય તો લઈ લેવા વિનંતી કરાઈ છે. આજે પોરબંદરમાં હિટવેવની આગાહી છે, જ્યારે અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસ તાપમાનમા કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે. વરસાદને પગલે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.


ટામેટાની ખેતી કરનારા ગુજરાતના ખેડૂતો થયા બરબાદ, બમણી આવકના ચક્કરમાં સર્વસ્વ લૂંટાયું


હવામાન વિભાગની આગાહી-
હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. 


દ્રાક્ષની ખેતીનો ગુજરાતમા ડંકો વાગ્યો,કિસાન ધારે તો સોનું પણ ઉગાડવાની ધરાવે છે તાકાત


અંબાલાલ પટેલની આગાહી-
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ આ પહેલાં આગાહી કરી ચુક્યા છેકે, આ વખતે ઉનાળામાં પણ તમને ચોમાસાની સ્થિતિનો અહેસાસ થશે. માવઠાના મારથી આ વખતે ગુજરાતની દશા બેઠી છે. ભરઉનાળે મોઢું ફાડીને બેસેલાં કમોસમી વરસાદે રોગચાળાને વેગ આપ્યો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.