નરેશ ભાલિયા/જસદણ :જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત જસદણની એકલવ્ય સ્કૂલનીવેનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. સ્કૂલવાનમાં સવાર 2 વિદ્યાર્થી સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જસદણ હાઈવે અકસ્માતોનું સેન્ટર બની રહ્યુ છે. આ હાઈવે પર વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે એક માસુમ વિદ્યાર્થીનીનો ભોગ લેવાયો છે. જસદણમાં એકલવ્ય સ્કૂલ આવેલી છે. સવારે વિદ્યાર્થીઓને ભરેલી સ્કૂલ વાન વીરનગર તરફ જઈ રહી હતી, ત્યારે ખારચીયા ગોળાઈ પાસે સામેથી એક એસન્ટ કાર સ્કૂલ વાન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. તો બીજી તરફ, સ્કૂન વાનમાં સવાર બાળકો હચમચી ગયા હતા. 


આ પણ વાંચો : વડોદરાની શાંતિ કોણે ભંગ કરી? રવિવારે રાત્રે કોમી હિંસા બાદ સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરાઈ


સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. તમામ લોકો ઘાયલ થયા હતા, પરંતુ એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. ધોરણ-5 માં ભણતી વિદ્યાર્થીનીનું મોત થતા જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા. જેથી સ્થળ પર ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. તો બીજી તરફ કારમાં પાંચ લોકો સવાર હતા. અકસ્માતમાં કારમાં સવાર ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, રામાણી દયાબેન, રામાણી શિલ્પાબેન એમ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 


અકસ્માત બાદ વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. તો જસદણ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. 


આ પણ વાંચો :


પીએમ મોદીના ગુજરાત પ્રવાસના થોડા કલાકો પહેલા આ સ્થળનું બદલાયુ નામ


PM મોદીનું મિશન ગ્લોબલ ગુજરાત, આટલા વિદેશી નેતાને ગુજરાત તેડી લાવ્યા છે


Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શુ કહ્યું