Junagadh News અશોક બારોટ/જુનાગઢ : ભારતને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે. અહીં મોટાભાગના લોકો કૃષિ સાથે સંકળાયેલા છે. આજે જુનાગઢ જિલ્લાના જામકા ગામના ખેડૂતોની વાત કરીએ, જેઓએ પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢ જિલ્લામાં જામકા ગામ આવેલું છે. જામકા ગામમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અહીં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ ખેડુતોનું માનવું છે કે, પ્રાકૃતિક ખેતીથી અનેક ગણો ફાયદો પહોંચે છે. ઓછા ખર્ચમાં જાજુ ઉત્પાદન અને કોઈપણ જાતની આડઅસર વગરની વસ્તુ મળે તે સૌથી મોટી વિશેષતા છે. એવા જ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂત કિસનભાઈનું કહેવું છે કે તેઓ વિવિધ જાતના ફ્રુટ અને ધાન્ય પાકોનું છેલ્લા ઘણા સમયથી ઉત્પાદન લઈ રહ્યા છે અને તેમાં તેમ મોટી સફળતા પણ મળી છે.


યુવા કપલના નવા સંસારને કોની નજર લાગી, પતિનું હાર્ટએટેકથી મોત, પત્નીએ આપઘાત કર્યો


શ્વાન પાળવાનો શોખ હોય તો સાવધાન, કુતરાની લાળને લીધે એક શખ્સને પેટમાં થઈ અજીબ ગાંઠ


જામકા ગામના જ અન્ય ખેડૂતના મતે પ્રાકૃતિક ખેતીએ માનવ આરોગ્ય માટે પણ આશીર્વાદરૂપ સમાન છે. ઉપરાંત તેઓએ એવુ પણ કહ્યું કે, માર્કેટિંગના માધ્યમથી પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલી વિવિધ ઉપજ ન માત્ર જામકા કે ન માત્ર જુનાગઢ, પરંતુ દૂર દૂર સુધી તેમની વસ્તુ માટે માંગ રહે છે. એટલે આર્થિક દ્રષ્ટિકોણથી પણ પ્રાકૃતિક ખેતી ખેડૂતોને સારી એવી આવક કરાવે છે.


મહત્વનું છે કે, સરકાર દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પણ ઋતુ પ્રાકૃતિક ખેતી તરફ પડે તે માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવતું હોય છે. 


ખેડૂતો માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, ઉનાળામાં પાણી નહિ ખૂટે તેવી વ્યવસ્થા કરાશે


કર્ણાટકમાં ગુજરાતની દાળ ન ગળી : રસોઈયા-કરિયાણા સાથે મેદાનમાં ઉતરેલા 40 નેતાઓ ફેલ ગયા