ઝી ન્યૂઝ/અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ હાલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. હાલ નરેશ પટેલ હાર્દિક પટેલને લઈને રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ સ્થાનિક નેતૃત્વથી કંટાળીને કેસરિયા કરશે કે નહીં તેની અનેક ચર્ચાઓ સંકેત વિશે ચર્ચા થઈ રહી છે. તેવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશવું જોઈએ કે નહીં? કંઈ પાર્ટીમાં જોડાશે જેવા અનેક ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ વાત વચ્ચે રાજકોટમાં પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજકોટ ખોડલધામની કારોબારી બેઠક અચાનક રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે મળનારી ખોડલધામની કારોબારી બેઠક ભાવનગર, અમદાવાદ અને જૂનાગઢના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા બેઠક રદ્દ કરાઈ છે. રમેશ ટીલાળાએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે. તેમણે સર્વેનો હવાલો આપીને નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો તેવો પ્રતિભાવ આપતા રાજનીતિ ગરમાઈ હતી. હવે જોવાનું રહેશે કે નરેશ પટેલ સમાજના આ નિર્ણયને સ્વીકારે છે કે નહી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube