ઉદય રંજન, અમદાવાદ: અમદૂપુરા વિસ્તારમાં ફૂટપાથ પરથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થવાના કેસમાં નવો વળાંક આવ્યો. નાના બાળકના અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું બહાર આવ્યું. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની તેના જેઠ સાથે ભાગી ગઈ હતી અને અલગ રહેવા લાગી હતી. પતિને જાણ થતાં પોતાના મોટા પુત્રને લઇને ભાગી ગયો હતો. પોલીસે બાળકને પરત અપાવી કાર્યવાહી કરી છે. જ્યારે મહિલાએ નોંધાયેલી ખોટી ફરિયાદ ને લઈને પણ ગુનો નોંધ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના કાળમાં આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરિવારની વ્હારે આવ્યા આ લોકો


અમદુપુરા વિસ્તારમાં જી.સી.એસ. હોસ્પીટલના કોટની ફુટપાથ ઉપર રહેતી આ મહિલાએ પાંચ વર્ષના બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અપહરણ મુદ્દે નવી વળાંક આવતા ફરિયાદી મહિલા જ આરોપી બની. ઘટનાની વિગત એવી છે કે, મહિલાના પહેલા લગ્ન મુકેશ રાવળ સાથે થયા હતા. જેનાથી તેને બે બાળકો થયા. એક પુત્ર પાંચ વર્ષનો અને બીજો પુત્ર બે વર્ષનો.


આ પણ વાંચો:- શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો, જાણો કેટલા થયા ભાવ


આઠેક દિવસ પહેલા મોટા પુત્રનું કોઈ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાની પોલીસને જાણકારી મળી. શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી. પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા પરંતુ કોઈ ભાળ મળી ન હતી. એક અઠવાડિયા સુધી શોધખોળ બાદ પતિ-પત્નીને ક્રાઈમ બ્રાન્ચ લાવી પૂછપરછ કરતા યુવતીએ હાલના પતિ પહેલા તેઓના ભાઇ તથા અન્ય એક યુવકની સાથે લગ્ન કરેલા હોવાની માહિતી આપી.


આ પણ વાંચો:- કેબિનેટ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને મંજૂરી મળી: કૌશિક પટેલ


પહેલો પતિ મણિનગર રેલ્વે સ્ટેશન સામે રોડની ફુટપાથ તથા ઘોડાસર ખાતે સ્મૃતિ મંદિરની આસપાસ રહે છે. આ જ પતિ પોતાના બાળકનું અપહરણ કરી લઇ ગયો હોવાની શંકાને લઈ પોલીસ તપાસ કરતા તેના પતિ મુકેશ પાસે અપહરણમાં ભોગ બનેલ પાંચ વર્ષનું બાળક મળી આવ્યુ હતુ. મહિલાના પતિની અટકાયત કરી પુછપરછ કરતા ચાર વર્ષ પહેલા આ મહિલા સાથે લગ્ન કર્યા હતા. લોકડાઉનના કારણે મુકેશનો મોટો ભાઈ અજય તેમની સાથે રહેવા આવી ગયો હતો.


આ પણ વાંચો:- અમદાવાદ: સ્કૂલ ફી ઘટાડા મુદ્દે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારથી નારાજ


મહિલાને પોતાના જેઠ સાથે પ્રેમ થઇ ગયો હતો. આ દરમ્યાન ચારેક મહિના પહેલા પતિ મુકેશ સાથે ઝઘડો થતા પોતાની મહિલા બાળકો લઇને જેઠ સાથે ભાગી ગઇ હતી. મુકેશએ પત્ની અને બાળકોની શોધખોળ કરતો હતો. દરમ્યાન જાણવા મળ્યું હતું કે તેની પત્ની અને બાળકો અમદુપુરા જી.સી.એસ કોલેજ પાસે રહે છે. જેથી આઠેક દિવસ પહેલા પોતે અમદુપુરા ખાતે ગયેલ અને પોતાના દિકરાને લઇ આવી ગયો હતો. જેથી પોલીસે બાળક તેની માતાને સોંપી અપહરણ કરનાર સામે કાર્યવાહી કરી.


આ પણ વાંચો:- ગુજરાત પોલીસમાં ફરી કોરોના સક્રિય, કરાઈના ડેપ્યુટી ડાયરેક્ટર હરેશ દુધાત અને તેમના પત્ની પોઝિટીવ


જોકે મહિલા સામે પણ ખોટો મેસેજ આપવા બદલ એનસી ફરિયાદ પોલીસે નોંધી. મહત્વનું છે પતિ દારૂડિયો હોવાથી તેનો જેઠ મહિલાને સાચવતો હોવાનું રટણ મહિલા કરી રહી છે. પતિની જવાબદારી જેઠ ઉઠાવતા તેને પતિને છોડીને જેઠને પતિ બનાવ્યો છે. આ ત્રિકોણીય પ્રેમ પ્રકરણ અને બાળકના અપહરણમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં પોલીસે માતાને બાળક સોંપીને હાશકારો અનુભવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર