શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો, જાણો કેટલા થયા ભાવ

છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોરોનાનો માર સહન કરી રહેલા લોકોનું જીનવ ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યું છે. તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે હોવાથી લોકોને ટ્રાન્સપોટેશન મોંઘુ પડી રહ્યું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે.
શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો, જાણો કેટલા થયા ભાવ

અમદાવાદ: છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોરોનાનો માર સહન કરી રહેલા લોકોનું જીનવ ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યું છે. તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે હોવાથી લોકોને ટ્રાન્સપોટેશન મોંઘુ પડી રહ્યું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે.

30થી 40 ટકા ભાવ વધારો
ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. 30થી 40 ટકા શાકના ભાવ વધતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું છે. જમાલપુર APMC માર્કેટ બંધ છે અને વરસાદના કારણે બહારથી શાક આવી રહ્યું નથી.

શાકભાજીના વધેલા ભાવ

બટાકા 40
ડુંગરી 30
ટામેટા 60
કેપ્સિકમ 80
કોબીચ 40
દૂધી 80
ગુવાર 120
કરેલા 60
રીગણ 80
કાકડી 80
ગિલોડા 120
ચોળી 120
પરવર 100
ભીંડા 80
વટાણા 250
વાલોર 120
તુરિયું 80
ગલકું 80
રવ્યા 120
કંકોડા 120
સરગવો 120
બીટ 40
ફણસી 120
લીંબુ 60
મરચા 80
ધાણા 180
લીલી ડુંગરી 120
મેથી 120
પાલક 120
આદુ 150
ફ્લાવર 120

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news