• યુદ્ધ ધોરણે ચાલી રહેલી સી પ્લેનની કામગીરી વચ્ચે સી પ્લેન (sea plane) ની મુસાફરી અંગેની મહત્વની માહિતી સામે આવી.

  • હાલ નોન શિડયુલ ફલાઇટ તરીકે ઉપડવામાં ફલાઇટ ઉપાડાશે. બાદમાં મુસાફરોનો જે રીતે સહયોગ રહેશે તેમ શિડયુલ નક્કી કરાશે


આશ્કા જાની/અમદાવાદ :સી પ્લેન માટે વડાપ્રધાન મોદી અમદાવાદ આવવાના હોવાથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટમાં રંગરોગાનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમામ ડિવાઈડર રંગવામાં આવી રહ્યા છે. તો આંબેડકર બ્રિજના નીચેના ભાગમાં પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરના ભાગમાં પણ રંગરોગન કરાઇ રહ્યું છે. યુદ્ધ ધોરણે ચાલી રહેલી સી પ્લેનની કામગીરી વચ્ચે સી પ્લેન (sea plane) ની મુસાફરી અંગેની મહત્વની માહિતી સામે આવી છે. 


આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ સંગીતના માણીગર મહેશ કનોડિયાની ચીર વિદાય, એક ઐતિહાસિક યુગનો અંત 


  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સી પ્લેનની મુસાફરી કરશે તે સી પ્લેન પ્રોજેક્ટની ખાસિયતો 

  • સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા વચ્ચે 8 જેટલી ટ્રીપ લગાવશે. 

  • જેમાં અમદાવાદથી 4 ફ્લાઇટ ઉડાન ભરશે.

  • અમદાવાદથી કેવડિયા સુધીની સી પ્લેનની ઉડાનમાં 

  • એક વ્યક્તિની ટિકીટના ભાવ 4800 રૂપિયા રહેશે

  • સી પ્લેનની કેપેસિટી 19  લોકોને બેસાડવાની છે, જોકે 14 મુસાફરોને એક ટ્રિપમાં સી પ્લેનમાં બેસાડવામાં આવશે, જેમાં 5 ક્રુ મેમ્બર રહેશે  

  • સાંજે 6 વાગ્યા પછી સી પ્લેન ઉડાન નહિ ભરે, ફ્લાઇટ બંધ કરવામાં આવશે. 

  • 220 કિલોમીટરની યાત્રા સીપ્લેન 45 મિનિટમાં પૂરી કરશે. 

  • સવારે 8 વાગે સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે.

  • હાલ નોન શિડયુલ ફલાઇટ તરીકે ઉપડવામાં ફલાઇટ ઉપાડવામાં આવશે. બાદમાં મુસાફરોનો જે રીતે સહયોગ રહેશે તેમ શિડયુલ નક્કી કરવામા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડાથી સાબરમતી ખાતે  2 સી પ્લેન લાવવામાં આવશે. પ્લેન સાથે આવશે બે વિદેશી પાયલોટ પણ આવશે. આ સી પ્લેન સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થશે. આ વિદેશી પાયલટ છ મહિના સુધી અહી રહીને સી પ્લેન માટેની તાલીમ આપશે. 


આ પણ વાંચો : મહેશ કનોડિયાએ લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયું, ત્યારે દીદીએ કનોડિયા ભાઈઓને ઘરે આમંત્રણ આપ્યું હતું


અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલા વોટર એરોડ્રામ ખાસિયતો


અમદાવાદ રિવરફ્રન્ટ પર બે માળનું એરોડ્રામ તૈયાર કરવામાં આવ્યું છે. વોટર એરોડ્રામ પર હવાની દિશા જાણવા માટે એર બેગ લગાવવામાં આવી છે. ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે. સાથે જ બિલ્ડીંગમાં એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ ઈમરજન્સીની તમામ વ્યવસ્થા કરાઈ છે. જ્યારે કે, બીજા માળ પર વહીવટી કામગીરી માટે અધિકારીઓની બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવી છે. વેઈટિંગ રૂમની સામે સી પ્લેનની ફ્લોટીંગ જેટ્ટી પર જવા માટે એક્ઝીટ આપવામાં આવી છે. વોટર એરોડ્રામ પર રિવરફન્ટ સાબરમતી અમદાવાદ સાથે gujsail અને civil એવિએશન વિભાગના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર પછી ગુજરાતને સી પ્લેનનું નવું નજરાનું મળવા જઇ રહ્યું છે, જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચો : અમદાવાદના પરિવારે ડાકોર મંદિરમાં 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું કર્યું દાન