ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ આજે અમદાવાદ ખાતે એનસીપીના કાર્યાલયની શરૂઆત થઇ હતી. એક દલિત બાળકીના હસ્તે કાર્યાલયમાં બેડુ મુકવામાં આવ્યું હતું. એનસીપીની આ ઓફીસમાં પોઝીટીવ ઉર્જા છે કે કેમ અને કાર્યાલય રાજકારણમાં એનસીપીને ગુજરાતમાં સફળતા અપાવશે કે કેમ તે જોવા માટે વાસ્તુશાસ્ત્રીની મદદ લેવાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમરેલી: ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ રંગાયા ધૂળેટીના રંગમાં


ઘડો મુકવાની વિધી પૂર્ણ કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આ કાર્યાલય પ્રફુલ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું  હતું અને ફરીવાર કાર્યકરોની ઇચ્છા પ્રમાણે અહીં જ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. તેમણે હોળીની જ્વાળામાં નકારાત્મકતા અને નકામું ભસ્મ થાય એવી અપેક્ષા રાખી રાજ્ય અને દેશ વાસીઓને ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે, કાર્યાલય થોડા દિવસોમાં ધમધમી ઉઠશે. દેશ તથા ગુજરાતના રાજકારણમાં નવી દિશા જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા બાપુએ કહ્યું કે, સરકાર માર્કેટિંગ પાછળ કરોડોનું એંધાણ કરે છે. દેશના શહિદોની શહાદત ભુલાવીને ધૂળેટી ઉજવાઇ રહી છે તે યોગ્ય નથી. દેશના લોકો સમજુ છે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં એનડીએની સરકાર નહી બને એવી આગાહી પણ બાપુએ કરી હતી.


પોરબંદરના યાત્રાળુઓનો રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, 4ના મોત


સરકાર પર આકરા પ્રહારો કરતા બાપુએ ઉમેર્યું કે, સરકાર પોતાનો 5 વર્ષનો હિસાબ આપવાના બદલે હજુ 70 વર્ષનો હિસાબ માગી રહી છે. પાંચ વર્ષમાં લોકોના ધંધા અને રોજગાર ચોપટ થયા છે. બેરોજગારી વધી છે. જો લોકોને ચોકીદાર જ બનાવવાના હતા તો સરકાર શું કામ ચૂંટણી લડી હતી એ ચાબખો પણ બાપુએ માર્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...