Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે મોટો પડકાર બની રહ્યો છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની અપીલ પર રતનપર ખાતે અસ્મિતા સંમેલન યોજાઈ ગયું. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પ્રબળ બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 તારીખ સુધીનું અલ્ટીમેટમ


એટલે કે સુધી કે ક્ષત્રિય સમાજે તો 19 તારીખનું અલ્ટીમેટમ પણ આપી દીધુ છે. જો ટિકિટ રદ ન કરાઈ તો ભાજપનો પણ બહિષ્કાર કરાશે તેવી ચીમકી આપી દેવાઈ છે. હવે આ બધામાં સવાલ એ ઊભો થાય છે કે આટ આટલી નારાજગી છે તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં? તો સમજી લો કે તેની સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે કારણ કે રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ છે. હવે ધીરે ધીરે રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે પણ ભાજપ એમની ટિકિટ કાપવાના મૂડમાં નથી. હવે રૂપાલાનો વિરોધ ભાજપને નડી શકે છે. 


 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube