Atiq Ahmed News: પ્રયાગરાજમાં માર્યા ગયેલા યુપી માફિયા અતીક અહેમદનું નામ સાબરમતી જેલમાં કેદી નંબર 17502 તરીકે નોંધાયેલ છે. ઉમેશ પાલ હત્યા કેસ સંબંધમાં પૂછપરછ માટે યુપી પોલીસ તેને 11 એપ્રિલે સાબરમતી જેલમાંથી લઈ ગઈ હતી. ત્યારબાદ અતીક અહેમદની કસ્ટડી યુપી પોલીસને આપવામાં આવી હતી. આ પછી યુપી પોલીસે અતીક અહેમદને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની પત્ની છે MLA, લગ્નમાં ચાલી હતી ધનાધન ગોળીઓ, Photos વાયરલ


અતીકના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ પ્રયાગરાજમાં અતીકની હત્યા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી યુપી પોલીસે અતીકની હત્યા અંગે ગુજરાતની સાબરમતી જેલને સત્તાવાર રીતે જાણ કરી નથી. જેલ પ્રશાસનનું કહેવું છે કે યુપી પોલીસ પાસેથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ અતીકનું નામ કેદીઓની યાદીમાંથી હટાવવામાં આવશે. આ માટે આખી પ્રક્રિયા પણ છે.


ડમીકાંડમાં SITની તપાસમાં વધુ એક મોટો ધડાકો: PSI જ બેઠો ડમી તરીકે પરીક્ષા આપવા, પછી..


અતીકની સાથે સાબરમતી જેલનાં તમામ રહસ્ય દફન થઇ ગયાં છે. સેન્ટ્રલ જેલમાં અતીક અહેમદને ફોનની સુવિધા મળી ના હોત તો કદાચ ઉમેશ પાલની હત્યા થઇ ના હોત કે પછી જીશાન પાસે પાંચ કરોડની ખંડણી પણ મંગાઇ ના હોત. અતીક અહેમદ રૂપિયાના જોરે સાબરમતી સેન્ટ્રલ જેલથી બેઠાં બેઠાં યુપીની ગેંગ ઓપરેટ કરતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. તાજેતરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતની તમામ જેલમાં એકસાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો, જેની પાછળનું કારણ અતીક અહેમદે જેલમાં બેઠાં બેઠાં કરેલાં પરાક્રમો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. 


રખડતા ઢોરનો આતંક ડામવા AMC બાઉન્સરો રાખશે, અમદાવાદના 96 સ્થળે કરાશે તૈનાત


ડેથ સર્ટિફિકેટની જોવાઈ રહી છે રાહ
સાબરમતી જેલના દોષિત કેદીઓની યાદીમાંથી અતીક અહેમદનું નામ ત્યારે જ હટાવવામાં આવશે, જ્યારે યુપી પોલીસ દ્વારા ગુજરાતની સાબરમતી જેલમાં ડેથ સર્ટિફિકેટ સત્તાવાર રીતે આપવામાં આવશે. આ પછી જેલ પ્રશાસન અતીક અહેમદનું નામ હટાવી દેશે. ઉમેશ પાલના અપહરણમાં પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય અદાલત દ્વારા દોષિત ઠેરવ્યા બાદ અતીક અહેમદને દોષિત કેદી તરીકે 17502 નંબર આપવામાં આવ્યો હતો. 


હત્યા પહેલા સુપ્રીમ કોર્ટને સીક્રેટ લેટર લખીને ગયો છે અતીક અહમદ, હવે ખુલશે રાઝ?


એટલું જ નહીં, જેલ પ્રશાસને અંડર ટ્રાયલ કેદીમાંથી દોષિત કેદી હોવાના કારણે બેરેક પણ બદલી નાખી હતી અને અતિકને હાઈ સિક્યોરિટી એરિયામાં આવેલી 200 ઢોલી બેરેકમાં બંધ કરી દીધો હતો. જેલના એક અધિકારીએ જણાવ્યું કે મીડિયાના ધ્યાન પર એવી માહિતી આવી છે કે સાબરમતી જેલના કેદી નંબર 17502ની હત્યા કરવામાં આવી છે, પરંતુ જેલ મેન્યુઅલ મુજબ, પ્રયાગરાજ પોલીસને અતીકની કસ્ટડી આપવામાં આવી હતી. તે જ પોલીસ દ્વારા મૃત્યુ પ્રમાણપત્ર પ્રાપ્ત થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને પછી અતીક અહમદનું નામ કેદીઓની સૂચિમાંથી દૂર કરવામાં આવશે. પછી આ નંબર અન્ય કોઈને ફાળવવામાં આવશે નહીં.


જગદીશ ઠાકોર હર્ષ સંઘવી અને પાટિલ વિશે એવું તે શું બોલ્યા કે ભાજપ ભડક્યું?


46 મહિના સુધી સાબરમતીમાં રહ્યો અતીક
ચાર વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂકેલા અતીક અહેમદના છેલ્લા દિવસો સાબરમતી જેલમાં વિતાવ્યા હતા. જાન્યુઆરી 2019માં સુપ્રીમ કોર્ટના આદેશ પર સાબરમતી જેલમાં મોકલવામાં આવેલા અતિકને અંડરટ્રાયલ તરીકે લગભગ 45 મહિના જેલમાં વિતાવ્યા હતા. 46 મહિનાના અંતે જ્યારે તેને ઉમેશ પાલ અપહરણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો, ત્યારે તેને દોષિત કેદી તરીકે રાખવામાં આવ્યો. સાબરમતી જેલની ચાર દિવલોમાં 60 વર્ષના અતીક અહેમદના જીવનના આશરે 3 વર્ષ અને 10 મહિના પસાર થયા હતા.