રાજકોટઃ રાજકોટ શહેરના અમીન માર્ગ નજીક જૈન સમાજ દ્વારા આયોજીત ડુંગર દરબાર ખાતે સૌ પ્રથમ વખત 12000 થી વધુ જૈન સમાજના ભાઈઓ-બહેનોએ સામૂહિક પ્રતિક્રમણ કર્યું હતું. જૈન સમાજના લોકોએ 75 સતીજીઓના સાંનિધ્યમાં કરેલા આ સામૂહિક પ્રતિક્રમણ દ્વારા એક્તા નવો ઇતિહાસ રચાયો છે. આ ઘટનાની વર્લ્ડ રેકોર્ડની વિવિધ બુકોમાં એન્ટ્રી પણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુવારે સંવત્સરીના પવિત્ર દિવસે નમ્રમુનિ મહારાજની આગેવાનીમાં કરવામાં આવેલા આ પ્રતિક્રમણમાં જૈન ઉપરાંત અન્ય સમાજના ભાઈઓ-બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 12000 ભાવિકોએ એકીસાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું.


[[{"fid":"182434","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રંગીલા રાજકોટ શહેરના નામે અગાઉ પણ સામુહિક કાર્યક્રમના અનેક રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે. હવે જૈન સમાજે પણ સામુહિક પ્રતિક્રમણ દ્વારા એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે.