dandi river tragic incident : સુરતમાં 24 કલાકમાં ડૂબી જવાની બીજી હચમચાવી દેતી ઘટના બની છે. દાંડી બીચ દુર્ઘટના બાદ હવે નર્મદા નદીમાં 8 એક જ પરિવારના 8 લોકોના ડૂબી જવાની ઘટના બની છે. સુરતમાં રહેતા પ્રવાસીઓ નર્મદા નદી પાસે આવેલ પોઈચામાં ફરવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ થયા છે. હજી એકનો જ બચાવ થયો છે. ડુબેલા લોકોને બચાવવા માટે NDRF ની મદદ લેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનો પરિવાર પોઈચા ફરવા આવ્યો હતો 
અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. પોઇચામાં ફરી પરિવાર નર્મદા નદીમાં નાહવા ગયો હતો. જેમાં પરિવારના એક પછી એક મળીને કુલ 8 સભ્યો નદીમાં ડૂબ્યા હતા. ડૂબતા લોકોએ બચાવ બચાવની બૂમો પાડી હતી. જેથી  સ્થાનિક નાવિકો તેમને બચાવવા પાણીમાં કૂદ્યા હતા. એક યુવાનને સ્થાનિકો દ્વારા બચાવી લેવાયો છે, જોકે, 7 લોકો હજી પણ લાપતા છે. 


 



 


પરિવારના 8 સદસ્યોમાં 3 નાના બાળકો હતા. હજુ પણ 7 લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલું છે. હાલ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઈચા પહોંચીને મદદે લાગ્યા છે. તો તમામ લોકોને શોધવા માટે NDRF ની પણ મદદ લેવાઈ છે. 


 



 


નર્મદા નદીમાં ડૂબતા લોકોનો સ્થાનિકો દ્વારા વીડિયો લેવાયો હતો. ત્યારે ડૂબતા લોકોની ચીચીયારીઓ અને સ્થાનિક તરવૈયાનો વીડિયોમાં બચાવતા નજરે પડ્યા છે. ચાંદોદના તરવૈયા બચાવ કામગીરીમાં લાગ્યા છે. તો વડોદરા ફાયર ફાઈટરની ટીમ પોઇચા માટે રવાના થઈ છે.