ચેતન પટેલ, સુરત: 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે દિવસ. આ દિવેસ આખી દુનિયાના લોકો પોતાના પ્રેમનો એકરાર કરતા હયો છે. ત્યારે સુરતમાં 8 યુવતીઓ વેલેન્ટાઇન ડેના દિવસે એક સાથે સંસારની મોહ માયાનો ત્યાગ કરી પ્રભુ ભક્તિ અને સંયમનો માર્ગ અપનાવશે. આ 8 યુવતીઓ પૈકી એક યુવતી છે પુજા શાહ. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભાવનગરના ‘ખાદી ફેશન શો’માં પહોંચી આ સેલિબ્રિટિ, ફેશન શોમાં કર્યું રેમ્પ વોક


સુરતમાં જાણે દીક્ષા લેવાની હોડ શરૂ થઇ હોય તેવું લાગી રહ્યું છે અને એમાં પણ કરોડપતી પરિવારની દીકરીઓ કે જેઓ મોજશોખ, મોબાઇલ, લકઝીરીયસ કારની મોહ માયા છોડી સંયમનો માર્ગ અપનાવી રહી છે. 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન દિવસ. આ દિવસે સમગ્ર દેશમાં ઉજવણી ચાલતી હશે ત્યારે બીજી તરફ આજ સંસારની મોહ માયા તાથા વૈભવી લાઇફ છોડી 8 જેટલી યુવતીઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે. આ તમામની ઉંમર 13થી 25 વર્ષ સુધીની છે.


[[{"fid":"201727","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: વિશ્વના પ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયો ઉત્તરાર્ધ મહોત્સવ, લાઇટોથી ઝગમગ્યું મંદિર


મોટાભાગની યુવતીઓ કરોડપતિ પરિવારની છે. આ 8 પૈકી એક યુવતી છે જે નેશનલ જીમનાસ્ટીક પ્લેયર છે જેનું નામ પૂજા શાહ છે. પૂજા સુરતના નાનપુર વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં રહે છે. અવનીના પિતા કિરિટભાઇ હીરા દલાલીના કામકાજ સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા પૂજા ઉપાધ્યાયમાં ગઇ હતી. જ્યાં જૈન ગુરૂઓ સાથે રહીને તેણે પણ દીક્ષા લેવાની ઇચ્છા થઇ હતી.


[[{"fid":"201728","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


વધુમાં વાંચો: રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર, એક જ દિવસમાં 44 કેસ પોઝિટીવ નોધાયા


શરૂઆતમાં જ્યારે તેણે પોતાના પરિવારજનોને દીક્ષા લેવાની વાત કરી ત્યારે તેને એમ હતું કે પરિવાર અનુમતિ આપશે નહીં. જો કે, તેના પરિવારજનોએ દીક્ષા લેવાની અનુમતિ આફતા તે ખુશ થઇ ગઇ હતી. પૂજા એમ.કોમના સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. તે એવું માને છે કે આ જીવનમાં દુ:ખ જ દુ:ખ છે, સાચું સુખ તો આ મોહ માયા છોડી પોતે જ્યારે સંયમનો માર્ગ જીવસે તે છે.


[[{"fid":"201729","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


વધુમાં વાંચો: એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં શરૂ, હેલીકૉપટરથી કામ શરૂ


પૂજાને કોઇ પણ કાકા કે પરિવાર મોટું ન હતું. જેથી તેની નાનપણથી જ ઇચ્છા હતી કે તેના લગ્ન મોટા કુટુંબમાં થાય. અવનીએ જ્યારે દીક્ષાની વાત તેના માતા પિતાને કરી ત્યારે પહેલા તો તેમનું મન કચવાયું હતું. જો કે, બાદમાં તેઓએ દીક્ષા અંગેની મજૂરી આપી દીધી હતી. મહારાજ શ્રી ગુન રતનેશ્વરજીના સાનિધ્યમાં આ 8 દીકકરીઓ દીક્ષા લેશે. દીક્ષાના આગલા દિવસે આ તમામનો વરઘોડો નીકળશે અને ત્યાર બાદ બીજા દિવસે તમામ લોકો કૈલાશનગરના જૈનાલયમાં દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...